

Congoમાં સંયુક્ત રાષ્ટ્રના કાફલા પર ઘાતકી હુમલો, ઈટાલીના રાજદૂતની હત્યા થઈ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઇટાલિયન રાજદૂત લૂકા એટેસેનિયો અને ડ્રાઇવરનું સોમવારે થયેલ હુમલામાં મૃત્યુ થયું છે. જ્યાં હુમલો થયો તે વિદ્રોહીઓનું ક્ષેત્ર છે. યુએન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે કાફલો પૂર્વીય પ્રદેશની રાજધાની ગોમાથી વર્લ્ડ ફૂડ સ્કૂલ પ્રોગ્રામ ફીડિંગ પ્રોજેક્ટની મુલાકાત માટે રુત્શુરુ જઈ રહ્યો હતો ત્યારે આ હુમલો થયો. WFP સ્થાનિક અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી રહ્યો છે કે સુરક્ષા એસ્કોર્ટ્સ વગર યાત્રા માટે મંજૂરી આપવામાં આવી હતી. WFP એ જણાવ્યું કે 2017થી લુકા એટેસેનિયો ઈટલીના રાજદૂત તરીકે કાર્યરત છે, હુમલામાં ઓફિસર વિટોરિયો લેકોવેક્સી અને તેમના ડ્રાઈવરની હત્યા થઈ છે, અન્ય સભ્ય પણ ઘાયલ થયા છે.


આ હુમલો ઉત્તરીય કિવુમાં ન્યીરગોંગો ક્ષેત્રમાં થયો હતો. જે ત્રણ એન્ટેનસના રૂપે જાણીતો છે,જ્યાં 2018માં અજ્ઞાત લોકો દ્વારા બે બ્રિટનિયોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એક સ્થાનિક નાગરિક સમાજ સમૂહના અધ્યક્ષ મમ્બો કૈવે દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. વાહનમાં પાંચ લોકો સવાર હતા, જેમાં ઇટાલિયન રાજદૂત પણ હાજર હતા. કૈવેએ જાણકારી આપી કે અનેક ગોળીઓ વાગ્યા બાદ ડ્રાઇવરનું મોત થયું તથા અન્ય લોકો ઘાયલ થયા. વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ઘાયલોને નજીકની યુ એન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. (મૃતક રાજદૂત)


ગયા વર્ષે પૂર્વીય કોંગોમાં શસ્ત્ર સમૂહ દ્વારા કરેલ ક્રૂર હુમલામાં 2000થી વધુ નાગરિકના મોત થયા છે. જેને સંયુક્ત રાષ્ટ્રે સૌથી ખરાબ માનવીય સંકટોમાંથી એક કહ્યું છે. યુરોપીય સંઘના વિદેશનીતિ પ્રમુખ જો જોસેપ બોરેલે આ ઘટના અંગે વિદેશ મંત્રીઓ સાથે બ્રસેલ્સમાં અધ્યક્ષતા કરી રહ્યા છે તેમણે ઈટલી અને સંયુક્ત રાષ્ટ્ર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. કોંગોમાં યુરોપીય સંઘ આયોગ પ્રવક્તા નબીલા મસરાલીએ જણાવ્યું કે આ સમાચાર ખૂબ જ ચિંતાજનક છે, અમે યુરોપીય સંઘના પ્રતિનિધિમંડળ સાથે પરિસ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે.


મધ્ય આફ્રિકા રાષ્ટ્રમાં પાંચ પોઇન્ટ પાર બે મિલિયન લોકો વિસ્થાપિત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી અનુસાર શુક્રવારે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સીરિયા સિવાય કોઈપણ અન્ય દેશની તુલનામાં તે અધિક વિસ્થાપિત છે. ગયા વર્ષે 50 ટકા લોકો વિસ્થાપિત થયા હતા. જાન્યુઆરી 2019માં રાષ્ટ્રપતિ ફેલિકસ ત્સીસેકેદિની ચૂંટણી બાદ 1960માં સ્વતંત્રતા બાદ કોંગોએ પ્રથમવાર શાંતિપૂર્ણ લોકતાંત્રિક હસ્તાંતરણનો અનુભવ કર્યો.


યુએન શાંતિ મિશન જે મોનુસ્કો દ્વારા પ્રચલિત છે, જે ઓછામાં ઓછા 16000 લોકોની ટુકડીને ઓછી કરવા માટે કોંગોના અધિકારીઓને પોતાના સુરક્ષા કાર્યને સ્થાનાંતરિત કરવા માટે કાર્ય કરી રહ્યા છે. સ્વિટ્ઝર્લૅન્ડ, મોરોક્કો, નાઇજીરીયામાં રાજનાયીકની સેવા આપ્યા બાદ એટેનેસિયોને 2017માં કિંશાસામાં ઇટાલિયન દૂતાવાસમાં રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એટેનેસિયોને ઇટલીની ચર્ચમાં આયોજિત એક સમારોહમાં નાસિરીયા આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.